કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં.
| કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં. | |
| Court Name | MADHYA PRADESH HIGH COURT |
| Parties Name | Ramprasad vs. Bherulal and another |
| Judge Name | A. G. QURESHI, J. |
| Date of Judgement | 26 – 3 – 1991 |
| Reference Link | AIR 1992 MADHYA PRADESH 44 |
| કેસની વિગત :
સદર કેસની વિગતો મુજબ અરજદારે નીચેની કોર્ટમાં ગુજરનારના વિલ અંગે પ્રોબેટ મેળવવા માટેની અરજી દાખલ કરેલ. જે અંગેની પ્રોબેટ મેળવવા અંગે કાર્યવાહીમાં વાન્ધેદાર દ્વારા વીલના ખરાપણા અંગેની તકરાર લેવામાં આવેલ અને જણાવેલ કે જે દસ્તાવેજનાં આધારે પ્રોબેટની માંગણી કરવામાં આવી રહી છે, તે વિલ નથી કારણ કે તે વિલની વ્યાખ્યામાં આવતી નથી. નીચલી અદાલતે સવાલવાળું વિલ એટલે કે શું વિવાદિત દસ્તાવેજ ‘વિલ’ ની વ્યાખ્યામાં આવે છે કે કેમ? તે અંગેનો ઈશ્યુ ફ્રેમ કરીને તેનાં જજમેન્ટમાં જણાવ્યું હતું કે વાદગ્રસ્ત દસ્તાવેજ વિલના દાયરામાં આવતો નથી, અને તેથી પ્રોબેટ માંગતી અરજી રદ કરેલ. તે ચુકાદા સામેની અપીલમાં નામદાર હાઇકોર્ટ જણાવેલ કે, જો દસ્તાવેજની ભાષા સંપૂર્ણ રીતે વાંચવામાં આવે તો પણ તે ક્યાંય એવું કહેતી નથી કે તે દસ્તાવેજના કરી અપનારના મૃત્યુ પછી તેને અમલમાં લાવવાનું છે. તેથી, દસ્તાવેજ ભારતીય વારસાહ ધિકાર અધિનિયમની કલમ ૨(એચ) જણાવવામાં આવેલ ‘વિલ’ની વ્યાખ્યા -“ વસિયતનામું કરનારનો ઈરાદો દસ્તાવેજનો અમલ કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં હોવો જોઈએ કે તે વસિયતનામું કરનારના મૃત્યુ પછી અમલમાં મૂકવો જોઈએ.” તે મુજબ આવતો નથી. વાદગ્રસ્ત દસ્તાવેજ દસ્તાવેજ તે વ્યાખ્યામાં આવતો નાં હોય. તેથી, દસ્તાવેજમાં વિલની આવશ્યક ઘટક ગેરહાજર હોવાથી, તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના માટે પ્રોબેટ જારી કરી શકાય નહીં. (પારા -૫) રીલેટેડ પેરેગ્રાફ : The language of the document itself even if read as a whole does not say anywhere that it is to operate after the death of the document’s author. Therefore, the document does not fall within the definition of a ‘Will’ as defined in S. 2(h) of the Indian Succession Act. Wherein it has been provided that the intention of the testator should be in unequivocal terms while executing a document that it should be carried into effect after the death of the testator. Therefore, the essential ingredient of a will being absent in the document, it could not be treated as a Will and no probate could be issued on the basis of such a document. Therefore, in my opinion, the learned lower court has rightly held that the document in question is not a Will as required under S. 2(h) of the Indian Succession Act and, therefore, the proceedings for grant of probate or letters of administration could not lie. (para-5) |
|